
- સમુહ લગ્ન આયોજન
- મંદિરના પાટોત્સવ
- પુસ્તકો અને નોટબુક વિતરણ
- કાયમી તીથી યોજના
- યાત્રા-પ્રવાસ આયોજન
- સમુહ જનોઇ આયોજન
- વિવિધ ધાર્મિક તહેવારો ઉજવવા

સોમપુરા કેળવણી કેન્દ્ર - અમદાવાદ સહર્ષ ખુશાલી સાથ જણાવતાં આનંદ અનુભવે છે કે આપણા
સમાજની પ્રવૃતિઓમાં એક નવા સોપાનનો ઉમેરો થાય છે. આપણા સમાજની એક વેબસાઇટની શરૂઆત કરીએ
છીએ આ વેબસાઇટ દ્વારા સમાજને ધણી બધી માહિતીઓ સરળતાથી મળી શકશે. તેમજ તેને ઉપયોગમાં
લઇ શકાય તેવી રીતે તૈયાર કરવામાં આવી છે.

આમ ગુજરાતની જ્ઞાતિઓનો ઇતિહાસ તપાસતાં ભૌગોલિક નામથી અનેક જ્ઞાતિઓ થયેલ છે, પરંતુ જ્ઞાતિને
નામ આપનારા સ્થળો કંઇક અંશે સંસ્કારિતાનાં કેન્દ્ર જેવા છે.
જ્ઞાતિઓનાં ઇતિહાસમાં, સોમપુરા બ્રાહ્મણ એક અગત્યનું સ્થાન ધરાવે છે અને તેઓએ સોમનાથ
પાટણનું સોમપુર ગામ પોતાના નામમાં સાચવી રાખ્યું છે. વળી આ જ્ઞાતિએ ગુજરાત અને દેશ
પરદેશને ઉતમ શિલ્પીઓ આપ્યા છે. આ શિલ્પીઓની જ્ઞાતિ સોમનાથ પાટણમાં ઉદભવ પામી છે એ ઉપરથી
ગુજરાતમાં એક સમયે શિલ્પ બાંધકામનું મોટામાં મોટુ કેન્દ્ર સોમનાથ પાટણ હશે એ માન્યતાને
સમર્થન મળે છે.

-
Dec 21, 2009
"શ્રી સોમનાથ મહાદેવના મંદિરના પાટોત્સવ" ,
સોમપુરા કેળવણી કેન્દ્ર, અમદાવાદ
|
|
|
-
Feb 14, 2010
"શ્રી આશાપુરા માતાજીના મંદિરના પાટોત્સવ" ,
સોમપુરા કેળવણી કેન્દ્ર, અમદાવાદ
|